Tryst with Destiny

|
વિશ્વ ની સૌથી મોટી અને મહાન લોકશાહી આજે ભ્રષ્ટાચારના રાક્ષસ સામે લડવા મેદાને પડી છે. અન્નાના આંદોલનમા લાખોની ભીડ જમા થઈ રહી છે. સ્વતંત્રતાના ૬૫ વર્ષ બાદ ફરી ઍક વાર સામન્ય જનતાની સામે ભારતના નવીનીકરણ નો કૉલ આવ્યો છે. ત્યારે સામે દેખાઈ રહેલા વિકલ્પો માંથી ક્યા સાચા વિકલ્પ ની પસંદગી કરવી તેના પર ચિંતન તો જરૂર કરવુ પડશે. માત્ર ભારતમાતા ની જેય બોલી ને કે હાથમાં ત્રીરંગો લઇને શેરીમાં નીકળી પડવાથી તેનો ઉકેલ નહી આવે.

૬૫ વર્ષ પેહલા ૧૯૪૭, ૧૪મી ઑગસ્ટની મધરાતે દેશના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરૂઍ આપેલુ ઍ પ્રવચન આજે યાદ આવે છે. ( જો કે તેમની જ કૉંગ્રેસ પાર્ટી ભુલી ગઈ છે)

" આજે રાતે બાર કલાકે જ્યારે સમગ્ર દુનિયા નીંદ્રામાં હશે, ત્યારે ભારત જીવન અને સ્વંતંત્રતાની નવી સવાર સાથે ઉઠશે, ઍક ઍવી ક્ષણ કે જે ઇતિહાસમાં બહુ ઓછી વાર આવે છે, જ્યારે જુનુ છોડી નવા તરફ પ્રયાણ કરિયે છિયે, જ્યારે ઍક યુગનો અંત આવે છે, અને જ્યારે વર્ષોથી શોષીત ઍક દેશની આત્મા પોતાની વાત મૂકી શકે છે, આ ઍક સંયોગ છે, કે આપણે ઍવા પવિત્ર અવસર પર સમર્પણની સાથે ખુદને દેશ અને તેની પ્રજાની સેવા, અને તેનાથી પણ આગળ વધીને તમામ માનવતાની સેવા કરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છીયે.

Tryst with destiny ના નામે પ્રચલીત ઍ પ્રવચન માં ભારતના ભવિષ્ય માટે કેટલાક વચનો પણ આપવામાં આવ્યા હતા. "ભવિષ્ય માં આપણે આરામ થી બેસવાનું નથી, પરંતુ નિરંતર પ્રયાસ કરવાનો છે. જેથી આપણે જે વચનો પેહલા પણ આપ્યા છે અને આજે પણ ફરી આપીશું તેને પૂર્ણ કરી શકીયે. ભારતની સેવાનો અર્થ છે ઍ લાખો -કરોડો પીડિતો ની સેવા કરવાનો, ગરીબી અને અજ્ઞાનતા ને મીટાવાનો. આપણી પેઢીની સૌથી મહાન વ્યક્તિની ઍ મહત્વકાંક્ષા રહી છે કે કોઈની આંખમાં આંસુ ન રહે. કદાચ આ કાર્ય આપણા માટે હાલ સંભવ ના હોય પરંતુ જ્યાં સુધી લોકોની આંખોમાં આંસુ છે અને તેઓ પીડિત છે, ત્યાં સુધી આપણૂ કાર્ય પૂર્ણ નહી ગણાય. અને તેના માટે આપણે પરિશ્રમ કરવાનો છે, કઠણ પરિશ્રમ કરવાનો છે જેથી આપણે સપનાને હકીકતમાં બદલી શકીયે. ઍ સપનાઓ માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ છે."

"ભવિષ્ય આપણને બોલાવી રહ્યું છે, આપણે ક્યાં જવુ જોઈયે અને આપણા કેવા પ્રયાસ હોવા જોઈયે, જેથી ઍક સામાન્ય વ્યક્તિ, ખેડૂત અને કામદારો માટે આ સ્વતંત્રતા વધારે અવસર લાવી શકે. આપણે ગરીબી, અજ્ઞાનતા અને બિમારી સામે લડી શકીયે, ઍક સમૃદ્ધ લોકતાંત્રિક અને પ્રગતિશીલ દેશનું નિર્માણ કરી શકીયે. અને ઍક ઍવી સામાજિક, આર્થિક, અને રાજનીતિક સંસ્થાઓની સ્થાપના કરી શકીયે. જે દરેક પુરૂષ અને મહિલા માટે તેમના જીવનની પરિપૂર્ણતા અને ન્યાયને સુનિશ્ચિત કરી શકે."

દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્વતંત્રતાના ૬૫ વર્ષ બાદ વિશ્વતો દૂર ભારત માટેના ઍ સપનાને પણ પૂર્ણ કરી શકાયું નથી, જેની પાછળ રાજકીય ઈચ્છાશક્તિના અભાવની સાથે ભ્રષ્ટાચાર પણ કારણભૂત છે.

અન્નાના આંદોલનથી સમાજમા ભ્રષ્ટાચાર પર ચર્ચા શરૂ થઈ છે, લોકો સવાલ પુછતા થયા છે, ગલીઑમાં ભ્રષ્ટ્રાચાર વિરોધી નારા સંભળાઈ રહ્યા છે. ઍક આશાનું કીરણ દેખાઇ રહ્યુ છે. પરંતુ આ આંદોલન ત્યાં સુધી સીમિત ના રહી જાય તે માટે બિલની સાથે વિલની પણ જરૂર છે.

આ આંદોલનના સમર્થનમાં મોટી સંખ્યામાં ઍવા લોકો છે, જે રાજકીય ભ્રષ્ટાચારથી તંગ આવી ચૂક્યા છે, તેમને ઍવુ લાગે છે કે બિલથી માત્ર નેતાઓની અને અધિકારીઓની કમાઈ બંધ થશે, પરંતુ બિલના આવ્યા બાદ તમારે પણ લાઇનમાં ઉભુ રેહવુ પડશે, કોઈ લાગવગ વીના કામ કરાવવુ પડશે, ટ્રાફિક રૂલના ભંગ બદલ લાંચના બદલે દંડ ભરવો પડશે.

લોકશાહીમાં પ્રજા જ સર્વોપરી છે, તો પ્રજાઍ જ પ્રથમ પગલુ ભરવુ પડશે. લાંચ લેવાની પણ નહી, અને દેવાની પણ નહી ઍવી પ્રતિજ્ઞા લેવી પડશે. અને ત્યારે જ ભ્રષ્ટાચારના વિરૂદ્ધ સાચી લડાઈ શરૂ થશે.

ઓબામાના હીરો : ગાંધી

|

ઘણા લાંબા સમય થી કોઇ પોસ્ટ લખી નથી. બે મહિના પેહલા જ અમે મેલ્બર્નથી પર્થ મૂવ થયા. શહેર બદલ્યુ તો સાથે સાથે રોજનો નિત્યક્રમ પણ બદલાય ગયો. જો કે બ્લોગ નથી લખી શકી,તેનુ ઍક કારણ ઍ પણ હતુ કે કોઈ ઍવો વિષય હૃદયને સ્પર્શયો નહી. ઍક વાર લાગ્યુ કે જસવંત સિંઘની જિન્ના પર લખાયેલી પુસ્તકના વિવાદ પર મારો મત આપુ (ભલે કોઈ પુછ્તુ ન હોય), તેમા ઘણુ રિસર્ચ પણ કર્યુ, પછિ ખ્યાલ આવ્યો કે ભારત પાકિસ્તાનના ભાગલા પર ખુદ ઇતિહાશના નિષ્ણાતો વચ્ચે આટલા મતમતાંતર છે, ત્યારે સત્યને જાણ્યા સિવાય તેના પર લખવુ યોગ્ય નથી.પરંતુ આજે ઇંટરનેટ પર સરફિંગ કરતા આ સમાચારે મારૂ ધ્યાન ખેચ્યુ.

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ઍક વિદ્યાર્થિનીઍ તેમને પુછ્યુ કે જો આપને તક મળે કે આપના મનપસંદ કોઈ જીવિત કે મૃત વ્યક્તિની સાથે તમે ડીનર કરી શકો છો, તો તમે કોને પસંદ કરશો.

તેમણે કહ્યુ કે જીવીત અને મૃત મનપસંદ વ્યક્તિઓની યાદી તો ઘણી લાંબી થઈ જશે, પરંતુ થોડુ વિચાર્યા બાદ કહ્યુ કે "હુ મહાત્મા ગાંધીની સાથે ડીનર લેવાનુ પસંદ કરીશ, ઍ જ મારા સાચા હીરો છે. જોકે ઍ ડીનરનો સમય ઘણો ઑછો રેહશે કારણ કે ગાંધીજી ખૂબ ઑછુ જમતા હતા."

તેમણે કહ્યુ કે "મહાત્મા ગાંધી ઍક ઍવા હસ્તી હતા કે જેણે દુનિયાભરની કેટલીય પેઢી ને પ્રેરિત કરી છે, ખુદ મને તેમના પાસેથી બહુ પ્રેરણા મળી છે, માર્ટિન લ્યુથર કિંગ પણ તેમના વિચારો થી ખૂબ પ્રભાવિત હતા." ઓબામા કહ્યુ કે "જો ગાંધીજીઍ ભારતમા અહિંસક આંદોલનને ચલાવ્યુ ના હોત તો કદાચ આપ અમેરિકામાં નાગરિક અધિકારોના આંદોલનમાં અહિંસાની અસર ન જોઈ શકત. આજે પણ અમેરિકા ના ઍ આંદોલન મા ભાગ લેનારા વ્યક્તિઓ જ્યારે ગાંધીજીનુ નામ સાંભળે છે, તો તેમના ચેહરા પર ચમક આવી જાય છે."

બરાક ઓબામા મહાત્મા ગાંધીના ખૂબ મોટા પ્રશંસક રહ્યા છે, જ્યારે તેઓ અમેરિકન કૉંગ્રેસના સેનેટર હતા ત્યારે પણ તેમની ઑફીસ માં મહાત્મા ગાંધી ની તસવીર રેહ્તિ.

આ સમાચાર વાંચતી હતી ત્યારે મનમાં ખુશી પણ થઈ કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં ઍક નવા ઇતિહાશની શરૂઆત કરનારા રાષ્ટ્રપતિની પ્રેરણામૂર્તિ બીજુ કોઈ નહી પણ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે. પરંતુ સાથે દુખ પણ થયુ કે આપણા જ દેશમાં ઍ મહાત્માના વિચારોને સૌ ભૂલી ગયા છે. બાપુની તસ્વીર તો આપણા દેશના નેતાઑ પણ તેમના કાર્યાલયમાં રાખે છે, પરંતુ તેમના વિચારોથી પ્રેરણા લેવાનુ સામર્થય કદાચ તેમનામા નથી. ઍટલે જ તો થર્ડ ક્લાસમાં સમગ્ર ભારતનુ દર્શન કરનારા ગાંધીજીના સાદગીના પાઠ તેમની જ પાર્ટીના નેતાઑ હવે રહી રહીને (મંત્રીઓના ફાઇવ સ્ટાર હોટેલમાં રેહવાના સમાચારો હેડલાઇન બન્યા બાદ) આત્મસાત્ તો કરી રહ્યા છે, પરંતુ મન મારી ને....મજબૂરીનુ નામ મહાત્મા ગાઁધી ઍ વાત કોંગ્રેસના નેતાઑ માટે યથાર્થ સાબિત થઈ છે.
|

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.


આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.


એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.



ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.



તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.



મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સીફતથી હું વગોવાઈ રહ્યો છું.



કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

World Wide Survey

|
Worldwide survey was conducted by the UN. The only question asked was:

"Would you please give your honest opinion about solutions to the food shortage in the rest of the world?"

The survey was a huge failure.

Because In Africa they didn't know what 'food' meant,
In India they didn't know what 'honest' meant,
In Europe they didn't know what 'shortage' meant,
In China they didn't know what 'opinion' meant,
In the Middle East they didn't know what 'solution' meant,
In South America they didn't know what 'please' meant,
And in the USA they didn't know what 'the rest of the world' meant!

બે રાષ્ટ્રપતિ, બે ભાષણ

|
ગુરુવારના દિવસે જ્યાં ઍક તરફ દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યા હતા, તો બીજી તરફ દુનિયાના સૌથી વધુ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિના ઐતીહાસીક ભાષણને લોકો તાળીઓથી વધાવી રહ્યા હતા. ભારતીય સંસદમા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવિસિન્હ પાટિલે મનમોહન સરકારના આગલા 100 દિવસ અને પાંચ વર્ષના ઍજેંડાને દેશ સમક્ષ મૂક્યો, તો અમેરિકાધિપતિ ઓબામાઍ પણ ઇજિપ્તમાં કુરાનનો હવાલો આપી, મુસ્લિમ જગતને નવી શરૂઆત કરવાનુ આહવાન આપ્યુ.




જૉર્જ બુશની ભૂલોને સુધારવાની શરૂઆત ઓબામાઍ કઈક નવુ બોલીને કરી. તો દેશમાં ગત પાંચ વર્ષોમાં જે ક્ષેત્રોની અવગણના થઈ છે, તેના પર ભાર દેવામા આવશે તેમ જણાવી, રાષ્ટ્રપતિ પાટિલે પણ જે નથી થઈ શક્યુ તેને પૂરુ કરવાંનુ વચન આપ્યુ. જો કે પરિવર્તન કરણીથી આવે છે, કથનીથી નહી. તે તો આપણે સૌ જાણીયે છિયે, પરંતુ મંદીના આ સમયમા બિજુ કઈ નહી તો સારા ભાષણથી જ નવી આશા જગાવવા પ્રયાસ કરિયે. આમ પણ જે દેશની અંદર 100 દિવસમાં ઍક ફાઇલ આગળ નથી વધતી, ત્યા દેશના અર્થશાસ્ત્રને આગળ ધપાવવાની વાત જો થાય, તો આપણે આશા જગાવવા સિવાય બિજુ કરી પણ શુ શકિયે.