
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ઍક વિદ્યાર્થિનીઍ તેમને પુછ્યુ કે જો આપને તક મળે કે આપના મનપસંદ કોઈ જીવિત કે મૃત વ્યક્તિની સાથે તમે ડીનર કરી શકો છો, તો તમે કોને પસંદ કરશો.
તેમણે કહ્યુ કે જીવીત અને મૃત મનપસંદ વ્યક્તિઓની યાદી તો ઘણી લાંબી થઈ જશે, પરંતુ થોડુ વિચાર્યા બાદ કહ્યુ કે "હુ મહાત્મા ગાંધીની સાથે ડીનર લેવાનુ પસંદ કરીશ, ઍ જ મારા સાચા હીરો છે. જોકે ઍ ડીનરનો સમય ઘણો ઑછો રેહશે કારણ કે ગાંધીજી ખૂબ ઑછુ જમતા હતા."
તેમણે કહ્યુ કે "મહાત્મા ગાંધી ઍક ઍવા હસ્તી હતા કે જેણે દુનિયાભરની કેટલીય પેઢી ને પ્રેરિત કરી છે, ખુદ મને તેમના પાસેથી બહુ પ્રેરણા મળી છે, માર્ટિન લ્યુથર કિંગ પણ તેમના વિચારો થી ખૂબ પ્રભાવિત હતા." ઓબામા કહ્યુ કે "જો ગાંધીજીઍ ભારતમા અહિંસક આંદોલનને ચલાવ્યુ ના હોત તો કદાચ આપ અમેરિકામાં નાગરિક અધિકારોના આંદોલનમાં અહિંસાની અસર ન જોઈ શકત. આજે પણ અમેરિકા ના ઍ આંદોલન મા ભાગ લેનારા વ્યક્તિઓ જ્યારે ગાંધીજીનુ નામ સાંભળે છે, તો તેમના ચેહરા પર ચમક આવી જાય છે."
બરાક ઓબામા મહાત્મા ગાંધીના ખૂબ મોટા પ્રશંસક રહ્યા છે, જ્યારે તેઓ અમેરિકન કૉંગ્રેસના સેનેટર હતા ત્યારે પણ તેમની ઑફીસ માં મહાત્મા ગાંધી ની તસવીર રેહ્તિ.
આ સમાચાર વાંચતી હતી ત્યારે મનમાં ખુશી પણ થઈ કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં ઍક નવા ઇતિહાશની શરૂઆત કરનારા રાષ્ટ્રપતિની પ્રેરણામૂર્તિ બીજુ કોઈ નહી પણ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે. પરંતુ સાથે દુખ પણ થયુ કે આપણા જ દેશમાં ઍ મહાત્માના વિચારોને સૌ ભૂલી ગયા છે. બાપુની તસ્વીર તો આપણા દેશના નેતાઑ પણ તેમના કાર્યાલયમાં રાખે છે, પરંતુ તેમના વિચારોથી પ્રેરણા લેવાનુ સામર્થય કદાચ તેમનામા નથી. ઍટલે જ તો થર્ડ ક્લાસમાં સમગ્ર ભારતનુ દર્શન કરનારા ગાંધીજીના સાદગીના પાઠ તેમની જ પાર્ટીના નેતાઑ હવે રહી રહીને (મંત્રીઓના ફાઇવ સ્ટાર હોટેલમાં રેહવાના સમાચારો હેડલાઇન બન્યા બાદ) આત્મસાત્ તો કરી રહ્યા છે, પરંતુ મન મારી ને....મજબૂરીનુ નામ મહાત્મા ગાઁધી ઍ વાત કોંગ્રેસના નેતાઑ માટે યથાર્થ સાબિત થઈ છે.






