લોકશાહી અમર રહો

|

ચૂંટણી પરિણામ પર વિશ્લેષણ કરવા માટે હૂ પોતાને ઍટલી કાબેલ સમજતી નથી. ઍ માટે દેશના દિગ્ગજ પત્રકારો બેઠા જ છે. પરંતુ દેશના મતદાતાઓ ઍ જે જનાદેશ આપ્યો છે તેનાથી ઍક વાત જરૂર સાબિત થઈ છે કે લોકો સ્થિર અને સાફ સરકાર ઈચ્છે છે. તેઓ હવે સમજી ગયા છે કે અસ્થિર સરકાર દેશને ચલાવવાં કરતા ખુદને બચાવવામા વધુ વ્યસત રહે છે

કેટલાક નેતાઑને આ પરિણામે ઍક પાઠ પણ ભણાવ્યો છે કે કામ કરશો તો મત મળશે નહી તો જાકારો. બિહાર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. જ્યા નીતીશના ગુડ ગવર્નન્સની સામે લાલુ અને પાસવાનના સુપડા સાફ થઈ ગયા. જો કે સુધારવાનુ નેતાઑની નાતમા નથી. નહી તો પ્રજા વિકાસ જન્ખે છે તે સમજાઈ ગયુ હોવા છ્તા લાલુ અને પાસવાન કારમી હાર બાદ ઍમ ના કહે કે ચૂટણી પેહલા કોંગેસ સાથે હાથ ના મિલાવીને તેમણે મોટી ભુલ કરી અને ના તો અમરસિંહ બિન બુલાયે મેહમાંનની જેમ કોંગ્રેસને બિનશરતી ટેકો આપવા તૈયાર થઈ જાય. આવા નેતાઑને હજુ પણ સામ્પ્રદાયિકતા નામે પોતાની રોટલી શેકવામા જ વધુ રસ છે.

ભાજપને પણ આત્મમંથન કરવાની આવશ્યકતા છે. નેતાઓના ચેહરા બદલવાથી નહી પરંતુ નીતિઑને બદલીને મતદાતાઑના દિલ જીતી શકાશે તે સત્ય ભાજપને સમજાય તો સારુ. જો કે સૌથી વધુ ફટકો ડાબેરીઓને પડ્યો છે. ગત લોકસભામા યૂપીઍને બહારથી ટેકો આપીને, દરેક મુદ્દાઓ પર વિરોધ બણગા ફુંકનાર લેફ્ટના નેતાઑની તો બોલતી જ બંધ થઈ ગઈ છે. કેરળ અને ડાબેરીઑનો ગઢ ગણાતા પશ્ચિમબંગાળમા જનતાનો જે ચૂકાદો આવ્યો છે, તે ભારતમા સામ્યવાદના અંતની શરૂઆત હોય શકે.

ઍક તરફ જ્યા આ પરિણામથી ઘણી પાર્ટીઓને મોટો આઘાત લાગી રહ્યો છે, ત્યા બીજી તરફ આ જનાદેશ યૂપીઍ અને ખાસ તો કોગ્રેસ માટે મતદાતાઓ તરફથી મોટા આશીર્વાદ સમાન છે. ખુદ કોંગ્રેસને આ પરિણામની આશા ના હતી. જીતનો શ્રેય હમેશાની જેમ ગાંધી પરિવારને મળ્યો છે. પરંતુ મારા મતે રાહુલના રોડશોની સાથે સાથે મતદાતાઑ મનમોહનની ઈમાનદારી અને સાફદિલીથી પણ ઍટલા જ આકર્ષિત થયા છે. જો કે કોંગ્રેસની ખરી પરીક્ષા હવે શરૂ થવાની છે. પ્રજા ઍ વિકાસના મુદ્દા પર વોટ આપ્યા છે, પરંતુ જો કોંગ્રેસ વોટ બૅંકની રાજનીતિથી બહાર આવીને વિકાસ અને આતંકવાદ પર કઠોર નિર્ણય નહી લે તો આવતી ચૂટણીમા તેને ફરી જીતવુ ભારે પડશે.

આ લખી રહી છુ ત્યારે ન્યૂજ઼ વાચ્યા કે શેર બજારે પણ મતદાતાઑના ચૂકાદાને આવકાર આપ્યો છે. સેન્સેક્ષ 14,000 નો આંકડો પાર કરી ગયો છે. અન્ય ઍક વિદેશી અખબારમા બ્રિટિશ સાંસદ અને લેબર પાર્ટીના ભૂતપુર્વ પ્રધાન બેરી ગાર્ડિનારનુ ઇંટરવ્યૂ આવ્યુ છે. ગાર્ડિનારનુ કહેવુ છે કે આ પરિણામથી રાજકીય પંડીતોના તમામ દાવાઓને ભારતીય મતદાતાઓેઍ ખોટા સાબિત કર્યા છે, અને દુનિયાને બતાવી દીધુ છે કે ભારત માત્ર સૌથી મોટો લોકશાહી દેશ જ નથી પરંતુ સૌથી વધારે પરિપક્વ પણ છે.

2 comments:

V.R.Rohadia said...

હવેતો ભાજપ સમજે તોજ સારુ.'હિન્દુત્વ'એ ચગવવાનો મુદ્દો નથી પરંતુ મતદારને એ ગળે ઉતરાવવું જરુરી છે.

Navaldan said...

સરસ વિશ્લેષણ ચુટણીની ગરિમા જાળવતો લેખ.